Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

અમદાવાદના નારણપુરામાં જુગારી પતિના ત્રાસથી કંટાળી પત્નીએ ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

અમદાવાદ:નારણપુરામાં રહેતી પરિણીતાએ સટોડીયા પતિ અને સાસરીયાઓના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો હતો. અંગે ઘાટલોડીયા પોલીસે મૃતકના પતિ, સાસુ અને સસરા સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

  બનાવની વિગત મુજબ વાસણામાં પુજન એપાર્ટમેન્ટમાં રહેતા રમેશચંદ્ર બી.શાહની પુત્રી આનલબહેન (૩૭)ના લગ્ન ૨૦૦૮માં રશમીકાંત કે.શાહના પુત્ર નિપુલ શાહ સાથે થયા હતા. છેલ્લા બે વર્ષથી તેઓ નારણપુરામાં સરદાર પટેલ આવાસ યોજનાના મકાનમાં રહેતા હતા. દરમિયાન આનલબહેનને તેમના પતિ સાથે ઝઘડો થતા પોતાની ચાણક્યપુરીમાં રહેતી બહેનપણીના ઘરે જતા રહ્યા હતા. અંગે આનલબહેને તેમના પરિવારજનોને કહ્યું હતું કે નિપુલકુમારને શેરબજારમાં સટ્ટો રમવાની આદત હોવાથી તે સટ્ટામાં બધા પૈસા હારી ગયા છે. ટેક્ષટાઈલમાં નોકરી કરતો નિપુલ ઘરે પણ પગાર આપતો હતો. શેરબજારમાં દેવુ થઈ જતા આનલબહેનના સાસુ ભારતીબહેનની એફ.ડી. તોડાવીને પૈસા ચુકવ્યા હતા. તેમછતા નિપુલ આનલબહેનને તેના પિયરમાંથી પૈસા લઈ આવવા શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. આનલહેનના ખાતામાં પડેલા દોઢેક લાખ પણ નિપુલ સટ્ટામાં હારી ગયો હતો.

(6:14 pm IST)