Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

મધ્યપ્રદેશ-ગુજરાત વચ્ચે નર્મદાના પાણીના મુદ્દે વિવાદ થવાના એંધાણ અકિલાએ ૭ માસ પૂર્વ આપેલો

રાજકોટ : ગયા ડીસેમ્બર ર૦૧૮ માં મધ્ય પ્રદેશમમાં વિધાનસભાની ચૂંટણી બાદ સત્તાપલ્ટો થતા ગુજરાત સાથે નર્મદાના પાણી બાબતે વિવાદ થશે એવો ઇશારો કરતો અહેવાલ અકિલાએ તા. ૧૩ ડીસેમ્બરના અંકમાં છેલ્લા પાને પ્રસિધ્ધ કરેલ. હવે મધ્યપ્રદેશે પાણી નહિ છોડવાની ચીમકી આપતા ગુજરાત સરકારે પાણી ગુજરાતનો હકક હોવાની વળતી ચીમકી આપી છે. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની અને ગુજરાતમાં ભાજપની સરકાર છે. નર્મદાના પાણીના મુદ્ે સામસામા રાજકીય આક્ષેપોની રેલમછેલ શરૂ થઇ ચૂકી છે. સૌથી પ્રથમ અકિલાએ આગમના એંધાણ આપેલ તે અત્રે ઉલ્લેખનીય છે.

(3:54 pm IST)