Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

૩ થી ૬ વર્ષના બાળકોને પ્રી-સ્કુલથી જ આરટીઇ હેઠળ પ્રવેશ અપાવવા માટે હાઇ કોર્ટમાં અપીલ

અમદાવાદ તા. ૨૨ : બંધારણની કલમ ૪૫ મુજબ ૩ થી ૬ વર્ષના  બાળકોને તેમને પાયાથી જ ભણતર માટેની તાલીક મળી રહે એ માટે જોગવાઇ કરવામાં આવેલી છે. અને આ કલમને સામાજિક કાર્યકર ચન્દ્રવદન ધ્રુવ દ્વારા  હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે. તેમની રજુઆત છે કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ધોરણ ૧માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. જોકે રાજ્ય સરકાર અને હાઇકોર્ટમાં એવી રજુઆત કરાઇ છે તેમના વતી કે બાળકોને ભણતરનો અધિકાર આરટીઇ હેઠળ ધોરણ ૧થી મળે છે. એ ૩ વર્ષની ઉંમરથી જ નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજીથી આપવામાં આવે જેથી તેમનો ભણતરનો પાયો મજબુત થાય.

હાઇકોર્ટે આ બાબતને ગ્રાહ્ય રાખી રાવ્ય સરકારને નોટિસશ ઈશ્યુ કરી હતી. સરકારે જવાબમાં એવી રજુઆત કરી કે અમે એના માટે આઇસીડીએસ યોજના હેઠળ આંગણવાડી ચલાવીએ છીએ હાલમાં ૫૦ હજાર જેટલી આંગણવાડીઓ કાર્યરત છે. જોકે સામે અરજદાર દ્વારા  એવી રજુઆત કરાઇ કે આ આંગણવાડીઓ માત્ર ને માત્ર બાળકોને સાચવવાનુ કામ કરે છે. એટલે નિયમ મુજબ ૩ થી ૬ વર્ષના બાળકોને  પ્રથમિક શિક્ષણ આપવામાં આવે  જેથી તેમના શિક્ષણનો પાયો મજબૂત થાય. હાલ કોર્ટમાં બંન્ને પક્ષે દલીલો પુર્ણ થઇ છે. અને કોર્ટે બન્ને પક્ષોની દલીલો સાંભળી હવે ચુકાદો ૨૦ નવેમ્બરે નિયત કર્યો છે. હવે  જો અરજદારની રજુઆત કોર્ટે ગ્રાહ્ય રાખે તો આગામી સત્રથી બે લાખથી  વધુ ગરીબ બાળકોને હવે ભણતરના અધિકાર હેઠળ પ્રી- સ્કુલના ભણતરનો  પણ લાભ મળી શકે છે.

(11:50 am IST)