Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

ગુજરાતની ફૂટબોલ ટીમની કેપ્ટન માનસી વખારીયાનું લાંબી સારવાર બાદ નિધન

માનસીને GBS વાયરસની અસર : 10 દિવસથી કોમામાં હતી.

ગુજરાતની ફૂટબોલ ટીમની કેપ્ટન માનસી વખારીયાનું લાંબી સારવાર બાદ નિધન થયું છે. માનસીને GBS વાયરસની અસર હતી. તેણી 10 દિવસથી કોમામાં હતી.

  છેલ્લા ચાર વર્ષથી ગુજરાતની ફૂટબોલ ટીમની કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળનારી માનસી કુલ ૧૧ નેશનલ મેચ રમી ચૂકી છે.

  માનસી અમદાવાદની H L કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેને શરૂઆતમાં પગનો દુ:ખાવો થયો હતો. અને બાદમાં અચાનક તેની હાલત ગંભીર બની ગઈ હતી. અમદાવાદના ડો. જીવરાજ મહેતા સ્મારક હેલ્થ ફાઉન્ડેશનમાં માનસી સારવાર હેઠળ હતી.જ્યાં તેનું નિધન થયું છે.

(8:28 pm IST)