Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

સુરત કોર્ટના નવમા માળેથી ઝંપલાવી પરિણીતાનો આપઘાત

સુરતઃસુરતના આઠવા લાઇન્સ વિસ્તારની કોર્ટમાં આજે નવમા માળેથી આશરે ૩૦ વર્ષની પરિણીતા સિમ્પીસીંગ રાજપૂતે  પડતું મુકી  આપઘાત કરી લેતા દોડધામ મચી ગઇ હતી. પાડેસરા વિસ્તારમાં રહેતી આ યુવતીએ તેના પતિ અને સાસરિયાઓ સામે દહેજ મામલે ત્રાસની ફરિયાદ નોંધાવી હતી. આ અંગે આજે કોર્ટમાં તારીખ હોવાથી  સિમ્પીસીંગ હાજર રહી હતી. એ પછી ગમે તે થયું મહિલાએ નવમા માળેથી મોતની છલાંગ લગાવી દીધી હતી.

વકીલે ૧૦૮ બોલાવી હતી  પરંતુ હોસ્પિટલ લાશ જ પહોંચી હતી. પોલીસના જણાંવ્યા મુજબ મરનારના પતિનુ નામ લાલચંદસીંગ રાજપૂત છે.  અને તે લુમ્સમાં નોકરી કરે છે.

(12:24 pm IST)