Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

અમદાવાદના નહેરુનગર BRTS બસ સ્ટોપને ઉડાવી દેવાની ધમકીનો ફોન કરનાર શખ્શ અસ્થિર મગજનો હોવાનું ખુલ્યું

શાહઆલમની ઝુપડપટીમાં રહેતા શખ્શની વીએસમાં સારવાર ચાલે છે

 

અમદાવાદ કંટ્રોલ રૂમમાં કોઇ અજાણ્યા શખ્સે ધમકી ભર્યો કોલ કરતાં દોડધામ મચી છે. જો કે તપાસ બાદ જાણવા મળ્યું કે ધમકીભર્યો ફોન કરનાર શખ્સ માનસિક રીતે અસ્થિર હતો, તેની વીએસ હોસ્પિટલમાં સારવાર પણ ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે.

ફોન કરનાર શખ્સની અમદાવાદ ખાતે આવેલી વીએસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. શખ્સે પોતાની માતાના ફોનમાંથી પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. તો શખ્સ અમદાવાદમાં શાહઆલમ ખાતે આવેલા ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. હાલ અમદાવાદ ક્રાઇમબ્રાંચની એક ટીમ વીએસ હોસ્પિટલ ખાસે તપાસ અર્થે પહોંચી હતી.

પહેલા ફોનમાં શખ્સે ત્રણ દિવસમાં બોમ્બ બ્લાસ્ટ કરી BRTS બસ સ્ટેશન ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી. શખ્સે કહ્યું  હતું કે નેહરુનગરની તમામ બસો ઉડાવી દેવામાં આવશે. ફોન કોલના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી

(10:49 pm IST)