Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

એમએસ યુનિવર્સિટીમાં ફી વધારાને લઈને NSUI દ્વારા સત્તાધીશોનાં પૂતળા દહન કરાયા

ફી વધારા મુદ્દે યોગ્ય નિર્ણય નહીં લે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી

વડોદરા એમ.એસ યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટીમાં ફી વધારાને લઈને એનએસયુઆઇ દ્વારા સત્તાધીશોનાં પૂતળા દહન કરવામાં આવ્યા હતા. એનએસયુઆઈ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા કે ફી વધારાની સામે કોઇપણ સુવિધાઓ ભણતરમાં વધારવામાં આવી નથી. આગામી દિવસમાં સતાધીશો ફી વધારા મુદ્દે યોગ્ય નિર્ણય નહીં લે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી આપી હતી. એનએસયુઆઈ વિરોધ કરવા સાથે વિવિધ કાર્યકમો આપી રહ્યું છે.

(8:32 pm IST)