Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

નિવૃતિ પછી કરાર આધારિત અધિકારીઓ માટે કામગીરી મૂલ્યાંકન હવેથી ઓનલાઈન

ગાંધીનગર, તા. ૨૨ :. સામાન્ય વહીવટ વિભાગે ૧૨ જૂને નાયબ સચિવ એ.એચ. મનસુરીની સહીથી વયનિવૃતિ પછીના કરાર આધારિત અધિકારીઓ જોગ પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છે.  પરિપત્રમાં જણાવાયુ છે કે હવેથી વયનિવૃતિ બાદ કરારીય નિમણૂક પામેલ વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓ માટે પણ વાર્ષિક કામગીરી મૂલ્યાંકન અહેવાલ કામગીરી 'સાથી' સોફટવેર અંતર્ગત ઈલેકટ્રોનિક ફોર્મમાં ઓનલાઈન હાથ ધરવાનું સૈદ્ધાંતિક રીતે ઠરાવવામાં આવે છે. રાજ્ય સરકારના વર્ગ-૧ અને ૨ સંવર્ગના મોટા ભાગના સંવર્ગના વાર્ષિક કામગીરી મૂલ્યાંકન અહેવાલની કામગીરી ઓનલાઈન થતી હોય કરાર આધારિત નિમણૂક પામેલ વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓના વાર્ષિક કામગીરી મૂલ્યાંકન અહેવાલની કામગીરી પણ તે મુજબ જ કરવાની રહેશે. વયનિવૃતિ બાદ કરારીય નિમણૂક પામેલ વર્ગ-૧ વર્ગ-૨ અધિકારીઓ માટે હવે વાર્ષિક કામગીરી મૂલ્યાંકન 'ઓનલાઈન' કરવા અંગેનું ફોર્મ નિયત પરિસ્થિતિ મુજબ રહેશે. આ સાથેની માર્ગદર્શક સૂચનાઓમાં દર્શાવેલ સમયમર્યાદાનં અચુકપણે પાલન કરવાનું રહેશે.

(11:47 am IST)