Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

ખેડૂતોની સમસ્યા ઉકેલવા કોંગ્રેસ દ્વારા ૨૫મીએ બિહારમાં રેલી-આવેદનઃ શકિતસિંહ ગોહિલની જાહેરાત

રાજકોટઃ કોંગ્રેસના વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા શકિતસિંહ ગોહિલે બિહારમા ખેડૂતોને થતા અન્યાય મુદ્દે તા.૨૫મીએ આંદોલન કરવાની જાહેરાત કરી છે.

આ અંગે શકિતસિંહ ગોહિલે ટ્વીટ કરીને જણાવ્યુ છે કે ખેડૂતોની સમસ્યાઓ દુર કરવા કોંગ્રેસ પક્ષ ખેડૂતોને સાથે રાખીને બિહારના દરેક જીલ્લામાં રેલી કાઢીને કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવશે.

આ માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦૧૦૦૭૧૪૦ જાહેર કરાયા છે જેમાં ઉપર ખેડૂતોને પોતાની સમસ્યા રજુ કરવા જણાવાયુ  છે

(6:50 pm IST)