Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

ઉમરગામના સાકેત નજીક વાડીમાંથી યુવકની લાશ મળી આવતા પોલીસે બનેવી સહીત અન્યની ધરપકડ કરી

ઉમરગામ:ના સાકેત નગરમાંં વાડીમાંથી ગુમ થયેલા યુવાનની હત્યા કરાયેલી લાશ પ્રકરણમાં પોલીસે મૃતકના બનેવી અને અન્યની નાસિકથી ધરપકડ કરી છે. સફાઈ કામમાંથી મેળવેલા રૃા.૫૦૦ની વહેંચણી મુદ્દે થયેલી રકઝકમાં બનેવીએ માથામાં લાકડું મારતાં સાળાનું મોત થયા બાદ તેની લાશ સાકેતનગરની વાડીમાં દાટી દીધી હતી.

પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત મુજબ ઉમરગામના વારલીવાડ ખાતે રહેતા બાલુ સુરેશભાઈ જાદવ (ઉ.વ.૨૨)ની સાકેતનગરમાં આવેલી વાડીમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.

બાલુની હત્યા તેના બનેવી ભગવાન કિસન પવાર (ઉં.વ.૨૨)  અને કુંટુંબી બનેવી ભાગવત સુખલાલ ગાયકવાડ (ઉં.વ.૨૩)એ (બંને રહે. નવીનગરી, ઉમરગામ, મુળ રહે. મહારાષ્ટ્ર) કરી હોવાની પોલીસ તપાસમાં ખુલ્યું હતું. તેઓની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા બાદ મોબાઈલ લોકેશનના આધારે પોલીસે બંનેની નાસિકથી ધરપકડ કરી જેલભેગા કર્યા હતા.

(6:28 pm IST)