Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

નારણપુરાના યુવકનું અપહરણ કરી ઢોર માર મારનાર ચાર શખ્સો પોલીસના સકંજામાં

અમદાવાદ:નારણપુરમાં રહેતા એક યુવકનું ચાર શખ્સોએ નવરંગપુરાથી રિક્ષામાં અપહરણ કરીને તેને ઢોર માર મરતા તે ગંભીરપણે ઘાયલ થયો હતો. બાદમાં આરોપીઓ તેને ઘાટલોડીયા લઈ ગયા હતા. ગુજરાત યુનિવર્સિટી પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

નારણપુરામાં અવની એપાર્ટમેન્ટમાં રહેતો અને ગ્રાફિક ડિઝાઈનર તરીકે કામ કરતો અજીત પ્રકાશ સિરકે (૩૫) ૧૯ જુનના રોજ બાઈક લઈને તેના મિત્ર સાથે ધંધાકીય ચર્ચા કરવાની હોવાથી તેની રાહ જોતા દાદા સાબેબ પગલા ચાર રસ્તા પાસે બેઠો હતો.

દરમિયાન રાત્રે ૧૧.૩૦ વાગ્યે અજીતના મકાનની સામે રહેતો કૃણાલ મકવાણા તેના મિત્રો નિશાંત બારોટ, સૌમિલ મકવાણા અને ઊત્સવ બારોટ સાથે અહીં આવ્યો હતો.

રિક્ષામાં અજીતને પ્રભાતચોક ઘાટલોડીયા યશકુંજ સોસાયટીના કૃણાલના ઘરે લઈ જવાયો હતો. અહીં ચારેય જણાએ અજીતને બેલ્ટથી તથા ગડદાપાટુનો માર માર્યો હતો, અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મારઝુને કારણે અજીતના કાનમાંથી લોહી વહેવા લાગ્યું હતું. દરમિયાન કૃણાલે ખોટો મેસેજ કરીને પોલીસને બોલાવી હતી.

(6:27 pm IST)