Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

કોન્ટ્રાકર કેરેજ બસોને નોનયુઝ જાહેર કરવા ૨૬ મે સુધી મુદત

રાજકોટ,તા.૨૨: રાજ્ય સરકારે કોન્ટ્રાકટ કેરેજ બસોને નોનયુઝમાં મુકવા સબંધે ૨૬મે સુધીની મુદત વધારી આપી છે. આ અંગે વાહન વ્યવહાર વિભાગના નાયબ સચિવ પ્રકાશ મજમુદારની સહીથી તા.૧૯મીએ પરિપત્ર પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.પરિપત્રમાં જણાવાયું છે કે નવેલ કોરોના વાયરસને નિયંત્રણમાં લાવવા ભારત સરકારના ગૃહ મંત્રાલય હુકમથી લોકડાઉન તા.૩૧/૫/૨૦૨૦ સુધી લંબાવેલ છે. આથી તા.૩૧/૫/૨૦૨૦ સુધી વ્યવસાયીક હેતુઓ માટે વપરાતી કોન્ટ્રાકર કેરેજ બસોનો વપરાશ બંધ રહેતા, કોન્ટ્રાકર કેરેજ ઓપરેટરોને થયેલ અથવા થનાર સંભવિત નુકશાનની પરિસ્થિતીમાં તેઓને તેમના વાહન નોનયુઝ જાહેર કરવા તા.૨૬/૫/૨૦૨૦ સુધી સમય લંબાવવામાં આવેલ છે.

(11:25 am IST)