Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

અમદાવાદના જનતાનગરમાં હત્યા મામલે ત્રણ અલગ અલગ ફરિયાદ:ચાર આરોપીની ધરપકડ

બે આરોપી હત્યા કેસમાં અને બે આરોપીને હત્યાની કોશિશના ગુન્હામાં ઝડપી લેવાયા

અમદાવાદ: અમદાવાદમાં રામોલ વિસ્તારમાં જનતાનગર ખાતે ગઈ કાલ રાતે થયેલ હત્યા મામલે ત્રણ અલગ અલગ ફરિયાદ દાખલ કરી છે જેમાં રામોલ પોલીસે કુલ 4 આરોપીની ધરપકડ કરી છે. પોલીસ બે આરોપી હત્યાના કેસમાં અને બે આરોપી હત્યાની કોશિશના કેસમાં પકડવામાં આવ્યા છે. જે બે આરોપીની હત્યાની કોશિશથી અંદર ધરપકડ કરવામાં આવી છે તેજ આરોપીઓ મણિનગરમાં અમીરની હત્યાના ગુનામાં પણ નામ સામે આવ્યું છે.

    હાલમાં મણિનગરમાં જે આમિર શેખના હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે તે ગુનામાં પણ કુલ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી જેમાં આ બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે. અને અન્ય એક આરોપીની મણિનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે રાત્રીએ એલજી હોસ્પિટલની અંદર જે ખુની ખેલ રમવામાં આવ્યો હતો તેમાં પણ કુલ ૨૫ થી ૩૦ લોકો સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

 

(11:57 pm IST)