Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

સુરતની લાજપોર જેલમાં કાચાકામના કેદી રુસ્તમ કેસરીનું શંકાસ્પદ મોત

જોડીયા બાળકોના પિતાના મોતને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું

 

સુરત :સુરતની લાજપોર જેલમાં બોગસ વીલ કેસમાં રહેલા કાચા કામના કેદીનું મોત થયું હતું. પરિવાર દ્વારા શંકાસ્પદ મોતને લઈને સવાલો ઉભા કરવામાં આવ્યાં હતાં.જેથી સિવિલ હોસ્પિટલમાં મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. સિવિલમાં મૃતકના પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યું હતું.

  મળતી વિગત મુજ્બ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દોઢ વર્ષ અગાઉ બહેન દ્વારા ભાઈ પર બોગસ વીલ બનાવવાનો કેસ રૂસ્તમ કેસરી(...49) વિરૂધ્ધ નોંધાવવામાં આવ્યો હતો. ત્યારબાદ બમરોલી ગામમાં રહેતા રૂસ્તમને લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે રખાયો હતો.

   ડાયાબિટીસથી પીડાતા રૂસ્તમના મોત અગાઉ ગત શનિવારે તેમની પત્ની પતિની મુલાકાત લેવા માટે લાજપોર જેલમાં ગઈ હતી. જોડીયા બાળકોના પિતાના મોતને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

(9:50 pm IST)