Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

છારોડી ગુરૂકુળના લીલાછમ મેદાનમાં પત્રકારો ક્રિકેટ રમ્યા

અમદાવાદ : શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ખાતે દિવ્યભાસ્કરના તંત્રી શ્રી પ્રણવભાઇ ગોવળકર અને ચીફ એડિટર શ્રી ભટ્ટનાગર  સહિત ૩૦ જેટલા પત્રકાર ભાઇઓએ એસજીવીપી ગુરૂકુલ હોલિસ્ટીક હોસ્પિટલની  મુલાકાત લીધી હતી.

ગુરૂકુલ સંત શ્રી વેદાંતસ્વરૂપદાસજી સ્વામી અને કુંજવિહારીદાસજી સ્વામીએ પત્રકારોને ગુરૂકુલ હોલિસ્ટીક હોસ્પિટલની માહિતી આપતા જણાવ્યું હતુ કે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી દ્વારા સંચાલિત એસજીવીપી ગુરૂકુલ હોલિસ્ટીક હોસ્પિટલમાં યોગ આયુર્વેદ અને એલોપથીનો સુભગ સમન્વય થયેલો છે. સાતમાળનું  બિલ્ડીંગ અને ૨૦૦ બેડની ઉત્ત્।મ સગવડતા સાથે નિષ્ણાંત ડોકટરો, વૈદ્યો અને અત્યાધુનિક સાધનો દ્વારા રોગોની  સારવાર કરવામાં આવેછે.

પત્રકારોએ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ, એસજીવીપીના લીલોતરી ક્રિકેટ ગ્રાઉન્ડમાં શ્રી પ્રણવભાઇ ગોવળકરના કપ્તાની હેઠળ અને શ્રી ભટ્ટનાગરના કપ્તાની નીચે ફ્રેન્ડલી ક્રિકેટ મેચ યોજાઇ હતી જેમા શ્રી પ્રણવભાઇ ગોવળકરની ક્રિકેટ ટીમનો વિજય થયો છે જયારે ચીફ એડિટર શ્રી ભટ્ટનાગર ક્રિકેટ ટીમ રનર્સ આપ વિજેતા બેય ટીમને શ્રીવેદાંતસ્વરૂપદાસજી સ્વામી અને કુંજવિહારીદાસજી સ્વામીએ પ્રોત્સાહિત કર્યા હતા. તેમ કનુભગતની યાદીમાં જણાવાયું છે.

(3:54 pm IST)