Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

અમદાવાદમાં સામુહિક જૈન દીક્ષા સમારોહ : કાલે 19 મુમુક્ષુ સંયમના પંથે :નિત્યસેનસુરીશ્વર મહારાજ દીક્ષા અર્પણ કરશે

 

અમદાવાદમાં ચાલી રહેલા સામુહિક જૈન દીક્ષા સમારોહમાં 19 જેટલા મુમુક્ષુ કાલે તા.૨૩ તારીખે દીક્ષા ગ્રહણ કરશે. જૈન ધર્મમાં દીક્ષા બાદ સંસારથી મોહ છોડીને પ્રભુ ભક્તિમાં જીવન પ્રસાર કરે છે. જોકે પહેલા ગુરુ પાસેથી દીક્ષા માટે મંજુરી લીધા બાદ દીક્ષા લેવામાં આવે છે

   અમદાવાદમાં છેલ્લા દિવસથી ચાલી રહેલ સમૂહ દીક્ષા સમારોહમાં 19 મુમુક્ષુ નિત્યસેનસુરીશ્વર મહારાજ દીક્ષા અર્પણ કરશે ત્યારે દીક્ષા લઇ રહેલ મુમુક્ષુમાં એક મુમુક્ષુ એવા પણ છે જેમને લશ્કરી તાલીમ લીધી છે અને ઉડતા વિમાનમાંથી કુદકો મારીને પેરાગ્લાઈડીંગ કરેલ છે.

  મૂળ રાજસ્થાન મુમુક્ષુએ પોતાનું કોલેજ અભ્યાસ પૂર્ણ કરેલ છે અને આગળ જઈને આઈપીએસ બનવાના સપના જોતી રોશની રાંકાએ પોતાના સપના બદલીને પ્રભુ ભક્તિનો માર્ગ પસંદ કર્યો છે

(1:05 am IST)