Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

આંકલાવના કોસીંદ્રામાં ફાર્મ હાઉસમાં પાંચ તસ્કરોએ 32 હજારની મતાની ઉઠાંતરી કરી

આંકલાવ:તાલુકાના કોસીન્દ્રા ગામે આવેલા એક ફાર્મહાઉસમાં ગત ૯મી તારીખના રોજ રાત્રીના દશેક વાગ્યાના સુમારે પાંચેક જેટલા શખ્સોએ ત્રાટકીને દરવાજાનો નકુચો કાપી તિજોરીમાંથી ૩૨૩૫૦ની મત્તાની ચોરી કરીને તેમજ જીપગાડી, બાઈક અને સીસીટીવી કેમેરાની તોડફોડ કરીને નુકસાન પહોંચાડતા આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર ફરિયાદી નઝમાબેન યુસુફભાઈ મલેકનું કોસીન્દ્રા ગામે ફાર્મ હાઉસ આવેલું છે જેમાં ગત ૯મી તારીખના રોજ રાત્રીના દશેક વાગ્યાના સુમારે અકબર ઉર્ફે જાવેદ નાસીરભાઈ શેખ, માહિર સબ્બીરભાઈ મલેક, અશરફભાઈ મહંમદભાઈ મલે, અબ્બાસભાઈ ઉંમરભાઈ મલેક તેમજ નાસીરભાઈ કાસમભાઈ શેખ ત્રાટક્યા હતા અને જીપગાડી, બાઈક તથા સીસીટીવી કેમેરાની તોડફોડ કરી હતી. ત્યારબાદ રૂમના દરવાજાનો નકુચો કાપીને અંદર પ્રવેશ કરી તિજોરીમાંથી સોનાની બુટ્ટીઓ એક જોડ, ટીવી, તથા સેટઅપબોક્ષ અને રોકડા ૮ હજાર મળીને કુલ ૩૨૩૫૦ની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. 

(5:38 pm IST)