Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

ખોડલધામના પૂર્વ પ્રમુખ પરેશ ગજેરાએ કરી સ્પષ્ટતા :કહ્યું 'હું લોકસભા ચૂંટણી નહીં લડું

રાજકોટ, પોરબંદર કે અમરેલી કોઈ પણ જગ્યા પરથી નહીં લડું

રાજકોટ :લોકસભાની ચૂંટણી માટે પરેશ ગજેરાને ટિકિટ આપવા અંગે લાગેલા બેનરો બાદ ખોડલધામના પૂર્વ પ્રમુક અને પાટીદાર સમાજના અગ્રણી પરેશ ગજેરાએ સપષ્ટતા કરી છે કે હું લોકસભા ચૂંટણી નહિ લડું

    લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ ભાજપ દ્વારા પોતાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે સમાચાર વહેતા થયા હતા કે, પરેશ ગજેરા આ લોકસભા ચૂંટણીમાં બીજેપીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે. ત્યારે પરેશ ગજેરાએ આ તમામ અટકળો પર પૂર્ણ વિરામ મુકતા સ્પષ્ટતા કરી કે, હું લોકસભા ચૂંટણી નથી લડવાનો.
   પરેશ ગજેરાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, લોકોને મારા પ્રત્યે પ્રેમ ખુબ છે. લોકો મને ફોન કરી, રૂબરૂ મળવા આવી કહી રહ્યા છે કે, તમે લોકસભા ચૂંટણી લડો. પરંતુ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, હું લોકસભા ચૂંટણી નથી લડવાનો. હું રાજકોટ, પોરબંદર કે અમરેલી કોઈ પણ જગ્યા પરથી લોકસભા ચૂંટણી નથી લડવાનો. અગામી લોકસભા ચૂંટણીમાં માહોલ જોઈ ચૂંટણી લડવાનું વિચારીશું

(9:03 pm IST)