Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

સુરતના લીબાયત શાંતિનગર નજીક કરિયાણાની દુકાન ધરાવનાર શખ્સની દુકાનમાં તોડફોડ કરી ધમકી આપનાર 3 યુવાનો પૈકી બે ની ધરપકડ

સુરત: શહેરના લિંબાયત શાંતિનગર પાસે પોતાના ઘરના આગળના ભાગે કરિયાણાની દુકાન ધરાવતા રાજસ્થાની યુવાને ઉધારમાં સામાન આપવા ઇન્કાર કરતા ત્રણ યુવાનોએ ઝઘડો કરી ગાળો આપી દુકાનનો કાચ તોડી નાખ્યો હતો અને જતાં જતાં ધમકી આપી હતી કે જો તું પોલીસ કેસ કરીશ તો જાનથી મારી નાખીશું. પોલીસે બનાવમાં ગત મોડીરાત્રે ત્રણ યુવાનો પૈકી બેની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનનો વતની અને સુરતમાં લિંબાયત શાંતિનગર પાસે ઘર નં.31 માં રહેતો 27 વર્ષીય સુખારામ પુનારામ રાઠોડ ઘરના આગળના ભાગે અંબિકા કિરાણા સ્ટોર્સના નામે દુકાન ધરાવે છે. ગત ગુરૂવારે સાંજે ચાર વાગ્યાના અરસામાં તે દુકાને હાજર હતો ત્યારે સ્થાનિક યુવાન કરણ અને અન્ય બે યુવાન તેની દુકાને આવ્યા હતા અને ઉધારમાં સામાન માંગ્યો હતો

(5:12 pm IST)