Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

આણંદના ઉમરેઠમાં ભેદી વાયરલ તાવથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ

આણંદ: જીલ્લાના ઉમરેઠ પંથકમાં છેલ્લા એક સપ્તાહથી જી બી એસ નામના ભેદી વાયરલ તાવ એ સમગ્ર ઉમરેઠ પંથકમાં ચકચાર મચાવી છે. આણંદની ખાનગી હોસ્પીટલમાં એક બાળક સહિતના પાંચ કેસો નોંધાતાં આરોગ્ય વિભાગ દોડતુ થઈ જવા પામ્યું છે.

આ અંગેની પ્રાપ્ત માહીતી અનુસાર ઉમરેઠ તાલુકામાં છેલ્લા એક સપ્તાહથી જી.બી.એસ. નામની વાયરલ બિમારીને કારણે સમગ્ર ઉમરેઠ પંથકમાં ચિંતાનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. આણંદની ખાનગી હોસ્પીટલ અજય કોઠીયાલામાં ઉમરેઠ પંથકના દેવરામપુરા, બેચરી સહિત ત્રણ ઉમરેઠના કેસ નોંધવામાં આવ્યાં છે. 

 

 

 

 

(5:50 pm IST)