Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

અમદાવાદ મનપા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ કામગીરી હાથ ધરવામાં આવી: વાડજમાં 47 બાંધકામો તોડયા હોવાની માહિતી

અમદાવાદ: શહેરમાં મ્યુનિ.તંત્ર દ્વારા આજે પણ દબાણ હટાવ ઝૂંબેશ ચલાવાઇ હતી. જેમાં વાડજ ગામ દધીચી બ્રિજથી રિવરફ્રન્ટને જોડતા ૯.૧૫ મીટર પહોળાઇના રસ્તા પરના દબાણો તોડી પડાયા હતા.

સાબરનગર તરીકે ઓળખાતી આ વસાહતના ૧૭ રહેણાંક, ૨ કોમર્શિયલ સહિતના કુલ ૪૭ કાચા-પાકા બાંધકામો જમીનદોસ્ત કરી દેવાયા હતા.

બીજી તરફ મધ્ય ઝોનમાં કામા હોટલ, ખાનપુરથી ખાનપુર ચકલા સહિતના વિસ્તારોમાંથી પણ દબાણો હટાવાયા હતા. ૭૯ ઓટલા, ૬૯ કોમર્શિયલ શેડ, ૨૩ ઝૂંપડાઓ મળીને કુલ ૧૭૦ જેટલા દબાણોનો સફાયો બોલાવી દેવાયો હતો.

 

 

 

 

(5:44 pm IST)