Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

સોમવારે ગાંધીનગરમાં રૂષિવંશી સમાજ સેવા સંઘ દ્વારા સમુહલગ્ન-મહા સંમેલન

વિજયભાઇ રૂપાણી, પુરૂષોતમભાઇ રૂપાલા, અભયભાઇ ભારદ્વાજ તથા સંતો-મહંતો આર્શિવાદ પાઠવશે

રાજકોટ તા.૨૨: અમદાવાદના રૂષિવંશી સેવા સમિતી દ્વારા તા.૨૫ને સોમવારે રૂષિવંશી સેવા સમિતી દ્વારા તા.૨૫ને સોમવારે રૂષિવંશી મેદાન , ચ-૩, સર્કલ પાસે, સેકટર-૧૧, રૂષિવંશી સમાજ સેવા સંઘના નેજા હેઠળ નવમા સમુહલગ્ન તથા સમાજ મહાસંમેલનનુ આયોજન કરવામાં આવ્યુ છે.

જે અંતર્ગત તા.૨૫ને સોમવારે સવારે ૬ વાગ્યે જાન આગમન, ૮:૩૦ વાગ્યે હસ્તમેળાપ, સવારે ૯:૩૦ વાગ્યે સત્કાર સમારંભ, બપોરે ૧૨ વાગ્યે ભોજન સમારંભ બપોરે ૨ વાગ્યે કન્યા વિદાય યોજાશે. જેમાં ૧૨ નવદંપતિ પ્રભુતામાં પગલા પાડશે.

આ તકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઇ રૂપાલા, રાજયમંત્રી, કૌશિકભાઇ પટેલ, કુંવરજીભાઇ બાવળીયા, પરસોતમભાઇ સોલંકી, જયદ્રથસિંહ પરમાર, બચુભાઇ ખાબડ, સર્ચ એન્ડ સીલેકશન કમીટી ફોર સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યુનલના મેમ્બર અભયભાઇ ભારદ્વાજ, ભીખુભાઇ દલસાણીયા, નરેશ કનોડીયા, કાંતિભાઇ અમૃતિયા, ગોવિંદભાઇ પટેલ, રાજુભાઇ ધ્રુવ, પદમકાંતભાઇ ત્રિવેદી, ડો.જયેશ પરમાર, હેમરાજભાઇ પાડલીયા સહિતના ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત સત્કાર સમારંભના ઉપાધ્યક્ષો તરીકે પત્રકાર એસોસીએશનના પ્રમુખ સંદિપભાઇ બગથરીયા, સંજયભાઇ રાવ, વી.જી.રાઠોડ, ધવલ પી.ભટ્ટી, મિતરાજ પરમાર, ચંદ્રશેખર એમ.પનારા સહિતના ઉપસ્થિત રહેશે.

આ તકે પૂ.નરેન્દ્રબાપુ (શ્રી આપાગીગાનો ઓટલો ચોટીલા), પૂ.લક્ષ્મણબાપુ, પૂ.વાલદાસગુરૂ શ્રી શિવરામદાસ, પૂ.જાનકીદાસબાપુ, પૂ.છાયાદાસબાપુ, વિક્રમભાઇ રબારી સહિતના સંતો મહંતો આર્શિવચન પાઠવશે.

કાર્યક્રમને સફળ બનાવવા શ્રી સૌરાષ્ટ્ર વાળંદ સેવા સમિતી બાપુનગર-અમદાવાદના પ્રમુખ ડો.ઘનશ્યામભાઇ જે.ચૌહાણ, ઉપપ્રમુખ દામજીભાઇ વી.અમરેલીયા, ખજાનચી લલીતભાઇ જે.વાઘેલા, સહ ખજાનચી શામજીભાઇ એમ.જોટંગીયા, ટ્રસ્ટીઓ કાળુભાઇ બી.ગોંડલીયા, રમેશભાઇ સી.કાલાવાડીયા, નાગજીભાઇ ગોકળભાઇ રાવરાણી, મનસુખભાઇ જેરામભાઇ ચૌહાણ, કિર્તીભાઇ ગોહેલ સહિતના જહેમત ઉઠાવે છે.

એન્કરીંગ તેજશભાઇ  શીશાંગીયા, સુનિલભાઇ સુરાણી કરશે.આ કાર્ય માટે રૂષિવંશી સમાજના દાતાઓનો સહયોગ પ્રાપ્ત થયો છે.

વધુ વિગત માટે ડો.ઘનશ્યામભાઇ ચૌહાણ મો.૯૪૨૬૫ ૬૯૧૮૪ અથવા મો.૮૪૦૧૩ ૮૯૩૫૩ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.(૭.૧૬)

 

 

 

(3:13 pm IST)