Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

આંદોલનનો પડઘો : ST અને શિક્ષકોના પ્રશ્નોની ચર્ચા માટે ત્રણ મંત્રીઓની કમિટિ રચતા વિજયભાઇ

મુખ્યમંત્રી રૂપાણીએ આંદોલન પાછુ ખેંચવા અને ચર્ચા-વિચારણા કરવા અપીલ કરી : કમિટિમાં નિતીન પટેલ, આર.સી.ફળદુ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો સમાવેશ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૨૨ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજયમાં એસ ટી કર્મચારીઓ અને પ્રાથમિક શિક્ષકોના હાલ ચાલી રહેલા આંદોલન અને હડતાળ અંગે તેમના પ્રશ્નોની ચર્ચા વિચારણા માટે ૩ મંત્રીઓની કમિટીની રચના કરી છે

નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ કૃષિ મંત્રી આર સી ફળદુ અનેઙ્ગ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની આ કમિટિ આંદોલનકારી કર્મચારીઓ સાથે વાતચીત અને વાટાઘાટો કરશે અને પ્રજાવર્ગોને આ આંદોલન ને કારણે પડતી મુશ્કેલીઓ નિવારવા માટે વાટાઘાટના ટેબલ પર બેસી સાથે મળી ચર્ચા વિચારણા કરી સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવશે.

મુખ્યમંત્રી એ કર્મચારી મંડળો ને પણ અનુરોધ કર્યો છે કેઙ્ગ સરકારે ભૂતકાળમાં અને હાલ પણ વાતચીત વાટાઘાટો થીઙ્ગ સમસ્યાઓ નિવારવાની ભૂમિકા નિભાવી જ છે ત્યારે આંદોલકારી કર્મચારીઓ આ કમિટી સાથે વાતચીત અંગે સકારાત્મકતાથી વાટાઘાટોઙ્ગ માટે આગળ આવે.

આંદોલનકારી કર્મચારીઓ પણ પ્રજાને તેમના આંદોલન થી પડી રહેલી મુશ્કેલીઙ્ગ દૂર થાય અને સમાજનું વ્યાપક હિત જળવાય તે હેતુસરઙ્ગ આંદોલન પાછું ખેંચે અને પ્રજાને મદદરૂપ થાય તેવી અપીલ પણ વિજયભાઈ રૂપાણીએ કરી છે.(૨૧.૨૭)

 

(1:04 pm IST)