Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ખંભાત તાલુકાના ઉંદેલ ગામે આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં: નાના ભુલકાઓને માથે ભયંકર જોખમ તોળાયું

આણંદ :જિલ્લાના ખંભાત તાલુકાના ઉંદેલ તાબેના નવાપુરા ગામે આવેલ આંગણવાડી છેલ્લા ઘણાં વર્ષથી સાવ જર્જરિત હાલતમાં ફેરવાઈ જતા નાના ભૂલકાંઓના માથે ભયંકર જોખમ તોળાઈ રહ્યું છે. ગમે ત્યારે તુટી પડે તેવી હાલતમાં ફેરવાઈ ગયેલ આ આંગણવાડીમાં બાળકો તથા સરકારી કર્મચારીઓ પણ જતા ડરે છે ત્યારે આંગણવાડીના મકાનનું રીનોવેશન કરવામાં આવે અથવા તો નવા મકાનની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સ્થાનિક ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે.

ખંભાત તાલુકાના ઉંદેલ તાબે આવેલ નવાપુરા ગામે આંગણવાડી આવેલ છે. જેમાં આસપાસના વિસ્તારના અનેક બાળકો આવે છે. જો કે છેલ્લા પાંચ વર્ષ ઉપરાંતથી આ આંગણવાડીની હાલત સાવ બિસ્માર થઈ જવા પામી છે. છત ઉપરથી સીમેન્ટના પોપડા નીચે પડી રહ્યા છે અને છતના સળીયા પણ બહાર ડોકીયા કરી રહ્યા છે. આંગણવાડીના પગથિયા પણ સાવ જર્જરીત હાલતમાં ફેરવાઈ ગયા છે. રસોડાની હાલત પણ ખરાબ થઈ જવા પામી છે. 

(5:14 pm IST)