Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

મોડાસાના સાયરામાં યુવતિ ઉપર દુષ્‍કર્મ-હત્યા કેસમાં આરોપી બિમલ ભરવાડ અને પીડિતા વચ્ચે ૨૧૪ વખત ફોનમાં વાતચીત થયાનું ખુલ્યુ

મોડાસા : મોડાસાના સાયરા ગામની યુવતીની હત્યા અને કથિત દુષ્કર્મના મામલે નવો ઘટસ્ફોટ થયો છે. આ કેસની તપાસ CID ક્રાઇમને સોંપાતા તપાસ એજન્સીએ ત્રણે આરોપી બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર પરમારને કોર્ટમાં રજૂ કર્યા હતા. CID ક્રાઇમે કોર્ટમાં જણાવ્યું હતું કે આરોપી બિમલ ભરવાડ અને પીડિતા વચ્ચે ફોનમાં વાતચીતના વ્યવહાર હતા અને બિમલ તેમજ પીડિતા વચ્ચે 18 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી દરમિયાન 214 વખત ફોનમાં વાતચીત થઈ હતી.

ગુજરાતમાં મોડાસામાં દલિત સમાજની દીકરી પર થયેલા અત્યાચારની ઘટના છેલ્લા કેટલાક સમયથી ગાજી રહી છે. અહીં સાયરા(અમરાપુર) ગામની 19 વર્ષીય કોલેજિયન યુવતી 31મી ડિસેમ્બરે ગુમ થઈ હતી. જોકે પછી સાયરા ગામની સીમમાં વડ પરથી લટકતી હાલતમાં લાશ મળી હતી. યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર અને આ યુવતીની કરપીણ હત્યા કરી ઝાડ ઉપર લટકાવી દેવાના ચકચારી બનાવના રાજયભરમાં પડઘા પડી રહયા છે.ત્યારે આ દલિત યુવતીના મોત પ્રકરણે જિલ્લા પોલીસની કામગીરી જ શંકાસ્પદ હોઈ તમામ તપાસ સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ(એસઆઈટી) દ્વારા કરાવવાની માંગ ઉઠી હતી.

આ પીડિતાની અંતિમ ક્રિયામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. લોકોએ આક્રોશપૂર્વક દુષ્કર્મી અને તેના હત્યારાઓને ઝડપથી પકડી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે અને કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી ગુનેગારોને ફાંસીની સજા કરવામાં આવી હોવાની માંગ કરી હતી. આ મામલાનો વિવાદ વકરી રહ્યો છે ત્યારે બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખે યુવતીને ન્યાય અપાવવાના ભાગરૂપે સણસણતું ટ્વીટ કર્યુ છે.

(4:38 pm IST)