Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

ગળતેશ્વરના મેનપુરામાં અગાઉ યુવતીને જીવતી સળગાવનાર પિતા-પુત્રને અદાલતે આજીવન કેદની સજાની સુનવણી કરી

ગળતેશ્વર: તાલુકાના મેનપુરા અઢી વર્ષ અગાઉ પરણિત યુવતીને પાણીના નિકાલ બાબતના ઝઘડાની અદાવત રાખી બજાર વચ્ચે જીવતી સળગાવી મોતને ઘાટ ઉતારી દેવાના બનાવમાં નડિયાદ કોર્ટ મરનારના કૌટુંબીક કાકા તેમજ તેમના બે પુત્રોને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારતા ચકચાર મચી જવા પામી છે. 

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ગળતેશ્વર તાલુકાના મેનપુુરામાં ભાથીજી ફળીયામાં રહેતા ઈસ્માઈલમીયા મહંમદમીયા શેખની ઘરની સામે રસ્તાની બીજી બાજુ તેમના કૌંટુબીક ભાઈ કાલુમીયા હસુમીયા શેખ રહે છે. ભાથીજી ફળિયામાં સી.સી. રોડ છે. અને તમામ રહીશોનું પાણી આ સી.સી. રોડ પર થઈ જાય છે. છાશવારે કાલુમીયા હસુમીયા શેખ તેમના ઘર આગળ પાણી બાંધી દેતા હતા. જેથી પાણી આગળ વધતુ ન હતું. અને ઈસ્માઈલમીયા શેખના ઘર આગળ ભરાઈ રહેતું હતું. જેથી ઈસ્માઈલમીયા શેખ અને કાલુમીયા શેખ વચ્ચે આ પાણીની પાળ બાબતે ઝઘડા ચાલતા હતા. 

 

 

(5:46 pm IST)