Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

તારાપુરમાં અગાઉના ઝઘડાની અદાવત રાખી શખ્સને લાકડીથી માર મારતા મામલો બિચક્યો

તારાપુર: શહેરના ખ્રિસ્તી મહોલ્લામાં રહેતા પ્રેયશકુમારના પિતા કાંતિલાલ ચૌહાણ સાથે ગત ૧૪મી તારીખના રોજ રાત્રીના સાડા દશેક વાગ્યાના સુમારે નજીકમાં જ રહેતા જીગ્નેશકુમાર જોસેફભાઈ ચૌહાણ, પ્રેયરશન તથા જેમ્સ દ્વારા અગાઉના ઝઘડાની રીસ રાખીને ગમે તેવી ગાળો બોલવાનું ચાલુ કર્યું હતુ જેથી પ્રેયશકુમારે ગાળો બોલવાની ના પાડતાં જીગ્નેશકુમાર અને પ્રેયરશને કાંતિલાલભાઈને લાકડાના ડંડાથી માર માર્યો હતો. પ્રેયશકુમારની માતા વચ્ચે પડતાં તેમને પણ જેમ્સે લાકડાના ડંડાથી માર માર્યો હતો. 

દરમ્યાન ત્રણેયનું ઉપરાણું લઈને કનુભાઈ દાનાભાઈ ચૌહાણ અને જ્યોર્જ યાકુબભાઈ ચૌહાણ આવી ચઢ્યા હતા અને કાંતિભાઈ તથા તેમના પત્નીને ગડદાપાટુનો માર માર્યો હતો અને ઘરમાં પ્રવેશ કરી તેમજ બહાર મૂકેલા વાહનોની તોડફોડ કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે તારાપુર પોલીસે પાંચેય વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

(5:48 pm IST)