Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

અંકલેશ્વરમાં માતાની હત્યાના આરોપી પુત્રની ધરપકડ

સમાન ખરીદવા આપેલ રૂપિયા પાછા માંગતા પુત્રએ છરીના ઘા ઝીકી હત્યા કરી હતી

અંકલેશ્વર રાજપીપલા રોડ પર આવેલ મીરા નગર વિસ્તારમાં માતાએ સામન ખરીદવા માટે આપેલા 3000 રૂપિયા પરત માંગતા પુત્રએ ચપ્પુ નાં ઘા મારી માતાની કરપીણ હત્યા કરી ફરાર થઇ ગયેલા હત્યારા પુત્રને પોલીસે ઝડપી લીધો હતો.

 આ અંગેની વિગત મુજબ અંકલેશ્વરની મીરા નગર વિસ્તારમાં રહેતા તુલસાબાઈ બાબુ શિરાલે તેમના બે પુત્રો સાથે રહે છે.તેમનો નાનો પુત્ર ૨૧ વર્ષીય રાજેશ બાબુ શિરાલેને તેની માતાએ ઘરનો સમાન ખરીદવા માટે રૂપિયા ૩૦૦૦ આપ્યા હતા.આ રૂપિયા માતા તુલસાબાઈએ પુત્ર રાજેશ પાસે પરત માંગતા રાજેશ ઉશ્કેરાઈ ગયો હતો અને માતા પર ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકીને ફરાર થઈ ગયો હતો.

  પુત્ર દ્વારા મરાયેલા ઉપરાચાપરી ચપ્પુના ઘાને પગલે તુલસાબાઈને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડતા ૫૪ વર્ષીય તુલસાબાઈને સારવાર મળે તે પહેલા મોત નિપજ્યું હતું.

  આ ઘટનાની જાણ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ફરાર રાજેશની ધરપકડ માટેનાં ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં ગણતરીના કલાકોમાં પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.

 

(7:19 pm IST)