Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

પંચમહાલમાં દીપડાનો આતંકઃ પ લોકો ઉપર હુમલોઃ રના મોત

અમદાવાદ : પંચમહાલ જીલ્લાના ઘોઘંળા તાલુકામાં દીપડાએ આતંક મચાવ્યો છે. છેલ્લા ૧૧ દિવસમાં પ લોકો ઉપર હુમલો કરતા બેના મોત થયા છે. દીપડાને પકડવા વનખાતાના પ૦ થી ૬૦ કર્મચારીઓ લાગ્યા છે. વડોદરાથી પણ ટીમ બોલાવાઇ છે. તરવારીયા, ગોયા સુંડલ અને આજુબાજુના ગામોમાં દહેશતનો માહોલ છે. વન વિભાગની ટીમ દ્વારા ૯ જગ્યાએ પીંજરા ગોઠવવામાં આવ્યા છે. ઉપરાંત નાઇટ વીઝન કેમેરા પણ લગાડાયા છે. આવી જ સ્થિતિ અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના ગાબર ગામની છે. ત્યાં પણ દીપડાએ ર૪ કલાકમાં ૩ લોકો ઉપર હુમલો કર્યો છે. જેમાં એક વનકર્મી પણ સામેલ છે.

(11:30 am IST)