Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

અમદાવાદ BRTS અકસ્માત બાદ ફરાર થયેલા ડ્રાઈવરને પોલીસે ઝડપી લીધો

અમદાવાદના પાંજરાપોળ ચાર રસ્તા ખાતે બીઆરટીએસ દ્વારા થયેલા જીવલેણ અકસ્માતના કેસમાં બીઆરટીએસના ચાલકની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે

 . અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં આજે બીઆરટીએસ (BRTS) બસની ટક્કર વાગતા બે લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતાં. અકસ્માત બાદ લોકોએ રોષે ભરાયેલા બાદમાં બીઆરટીએસની બસને તોડફોડ કરવાની શરૂ કરી હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં ગઈકાલે સિટી બસની ટક્કરે ત્રણના મોત નિપજ્યા હતા. આ ઘટનાને હજી ચોવીસ કલાક પણ થયા નથી, ત્યાં અમદાવાદમાં સરકારી બસ બે લોકોના જીવ ભરખી ગઈ છે.

(1:20 am IST)