Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

મહેસાણાની પરિણીતાને દહેજ મામલે ત્રાસ ગુજારનાર ડોક્ટર પતિ તેમજ સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

નડિયાદ: શહેરની યુવતિને તેના મહેસાણા ખાતે રહેતાં ડોકટર પતિએ ઘરના સભ્યોની મદદથી દહેજની માંગણી શરૂ કરી હતી. જો કે માંગણી ના સંતોષાતા મારઝુડ કરી ત્રાસ આપવાનું શરૂ કરતાં આખરે પરિણીત યુવતિએ ગૃહત્યાગ કર્યો હતો અને નડિયાદ આવી મહિલા પોલીસ સ્ટેસનમાં પતિ તેમજ અન્ય સાસરીયાઓ સામે ફરિયાદ આપી હોવાનું જાણવા મળે છે.

મળતી માહિતી મુજબ નડિયાદમાં દેસાઈવગામાં રહેતાં સુરેન્દ્રભાઈ દવેની પુત્રી અદિતીના લગ્ન ૧૨--૨૦૦૫ માં મહેસાણા ખાતે રહેતાં અને ડોકટરનો વ્યવસાય કરતાં ડો.નિખીલભાઈ ચંદ્રકાન્તભાઈ શાહ સાથે જ્ઞાતિના રિતીરીવાજ મુજબ થયાં હતાં. લગ્ન કરીને સાસરે ગયેલી અદિતીને શરૂઆતનું લગ્ન જીવન સુખમય હતું. જો કે ત્યારબાદ તેના સાસુ અને જેઠાણી મેઘાબેન પ્રશાંતભાઈ શાહ નાની મોટી બાબતોમાં વાંક કાઢી ત્રાસ આપતાં હતાં. અને આડકતરી રીતે દહેજની માંગણી કરતાં હતાં.

(5:25 pm IST)