Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

સુરતના પાંડેસરામાં ઘરકંકાસમાં પત્ની રિસાઈને પિયરે ચાલી જતા પતિએ ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરત:સુરતના પાંડેસરામાં સતત થતા ઝઘડાને લીધે પત્ની રીસાઈને અઠવાડીયા અગાઉ માસીને ત્યાં ચાલી જતાં રીક્ષાચાલકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના ભદોઈના વતની અને સુરતમાં પાંડેસરા ગણપતનગરમાં રહેતા 27 વર્ષીય રીક્ષાચાલક સૂરજ અરવિંદભાઈ રાજપૂતે ગતરાત્રે પોતાના ઘરમાં પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

બે પુત્રીના પિતા સૂરજના છેલ્લા ત્રણ વર્ષથી પત્ની સોનમ સાથે ઝઘડા થતા હતા. આથી સોનમ અઠવાડીયા અગાઉ રીસાઈને સુરતમાં રહેતી માસીને ત્યાં ચાલી ગઈ હતી. આથી સુરજે આત્મહત્યા કરી લીધી હતી. વધુ તપાસ પાંડેસરા પોલીસ કરી રહી છે.

(5:22 pm IST)