Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

નિત્યાનંદ આશ્રમ વિવાદ: DPS સ્કૂલે આશ્રમ સાથેના તમામ કરારો રદ્દ કર્યા

ત્રણ મહિનામાં આશ્રમ અન્યત્ર ખસેડવા નોટિસ આપી

 

અમદાવાદના હાથીજણમાં સ્વામી નિત્યાનંદનો આશ્રમ વિવાદમાં આવતા હવે ડીપીએસએ આશ્રમ સાથેના તમામ કરારો રદ્દ કર્યા છે અને ત્રણ મહિનામાં આશ્રમ અન્યત્ર ખસેડવા નોટિસ આપી છે. આશ્રમને નોટિસ આપ્યાની જાણ જિલ્લા શિક્ષણાધિકારી અને પોલીસને પણ કરાઈ છે.  

  અત્રે ઉલ્લેખનીય છે કે પહેલા ડીપીએસે કંપની સોશિયલ રીપ્સોસિબિલીટી હેઠળ નિત્યાનંદ આશ્રમ સાથે કરારને રદ્દ કર્યા છે. આશ્રમના બાળકોના નિવેદનો સામે આવ્યા બાદ અને ડીપીએસે કરાર રદ્દ કર્યો છે

(11:17 pm IST)