Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ધરમપુરના રાજપુરી જંગલ ગામે વૃદ્ધાની અંતિમ વિધિ મામલે ગ્રામજનો અને પુત્ર આમનેસામને:પોલીસ દોડી

પુત્રએ દફનવિધિ કરવા માંગ કરી :ગ્રામજનો અગ્નિસંસ્કાર કરવા મક્કમ

વલસાડના ધરમપુર તાલુકાના રાજપુરી જંગલ ગામે 62 વર્ષીય વૃદ્ધનું હૃદય રોગથી મોત થયુ હતુ. ત્યારબાદ તેની અંતિમ વિધિ માટે ગ્રામજનો અને પુત્ર આમને સામને આવી જતા મૃતકની લાશ બપોર સુધી અંતિમ વિધિ વગર રઝળી હતી

 આ અંગે મળતી વિગત મુજબ મૃતક દ્વારા ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવામાં આવ્યો હોવાથી તેમના પુત્રએ દફન વિધિ કરવાની માંગ કરી હતી.જ્યારે ગ્રામજનો અગ્નિસંસ્કારની માંગને લઈ આમને સામને આવી ગયા હતા.ગામનું વાતાવરણ તંગ બન્યું હતું. આખરે સરપંચ અને ગ્રામજનોએ ધરમપુર પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોચી હતી અને મૃતકનો અગ્નિસંસ્કાર કરવા માટે પુત્રને માનવી લેતા મામલો થાળે પડ્યો હતો

(9:23 pm IST)