Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

આઅંકલાવના નવાખલ પાસે પોલીસે સાત જુગારીઓને ઝડપ્યા: 67 હજારનો મુદામાલ જપ્ત

આંકલાવ:તાલુકાના નવાખલ તેમજ આસોદર ચોકડીએ ગઈકાલે પોલીસે છાપાઓ મારીને સાત જેટલા જુગારીઓને પત્તા પાના તેમજ વરલી મટકાનો જુગાર રમી-રમાડતાં ઝડપી પાડીને રોકડા ૬૭ હજાર ઉપરાંત તેમજ કાર અને મોબાઈલ સાથે કુલ ૬.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ બે અલગ-અલગ ગુનાઓ દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી. 

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે આંકલાવ પોલીસને હકીકત મળી હતી કે, નવાખલ ગામની જીઈબી કચેરી નજીક આવેલ તળાવ પાસે કેટલાક શખ્સો એકત્ર થઈને પત્તા પાનાનો જુગાર રમી રહ્યા છે જેથી પોલીસે છાપો મારતાં સંજયભાઈ સુરેશભાઈ ઠાકોર (નવાખલ), રંગીતભાઈ દલપતસિંહ પઢિયાર (આમરોલ), વિજયભાઈ દિલાવરભાઈ રાજ (આંકલાવ),નીલેષભાઈ અરવિંદભાઈ પટેલ (જીલોડ) તેમજ કલ્પેશભાઈ છત્રસિંહભાઈ ડોડીયા (નવાખલ ચોકડી)નાઓ ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસને દાવ પરથી ૩૮૫૦ તેમજ અંગજડતીમાંથી ૧૧૫૦૦ મળીને કુલ ૧૫૪૦૦ની રોકડ રકમ મળી આવતા જપ્ત કરી હતી. 

આ દરોડો ચાલુ હતો તે દરમ્યાન આણંદ હેડક્વાર્ટરના પો.કો.ને મળેલી માહિતીના આધારે આસોદર ચોકડી પાસે કારમાં વરલી મટકાનો જુગાર રમાડતાં ફિરોજભાઈ આદમભાઈ અલાદ તથા સલીમભાઈ મુસ્તુફાભાઈ વ્હોરા (રે. નડીઆદ)ને ઝડપી પાડીને રોકડા ૫૧૭૦૦, એક મોબાઈલ ફોન તથા કાર મળીને કુલ ૬,૬,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને ફરાર થઈ ગયેલા મુખ્ય સુત્રધાર શોકતઅલી ઈનાયતઅલી સૈયદને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(6:13 pm IST)