Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

અમદાવાદમાં રવિવારે લોહાણા લગ્ન-સગાઇ કેન્દ્ર દ્વારા પસંદગી મેળો

અમદાવાદઃ લોહાણા ઇન્ટરનેશનલ કોમ્યુનીટી દ્વારા સંચાલીત લોહાણા લગ્ન સગાઇ કેન્દ્ર દ્વારા તા.૨૫ના રવિવારે ફકત હાઇલી એજયુકેટેડ (ડોકટર/ સી.એ/ એન્જીનીયર/એમબીએ/ એન.આઇ.આર) લગ્નઇચ્છુક ઉમેદવારો માટે જીવનસાથીની પસંદગી માટેનો ગેટુ-ગેધર કાર્યક્રમ (પંસદગી મેળો) રાખવામાં આવ્યો છે. જેના ફોર્મ્સ ''લોહાણા લગ્ન - સગાઇ કેન્દ્ર'' એ- વિંગ, ૪૧૨ મરડીયા પ્લાઝા, એસોસીએટસ પેટ્રોલ પંપ પાસે, સી.જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ ખાતેથી તા.૨૩ સુધીમાં મેળવી લેવા વધુ વિગત માટે કિશોર ઠકકર (મો.૯૯૦૪૦૩૫૦૫૧) નો સંપર્ક કરવો.

(2:46 pm IST)