Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

મંત્રી મંડળની બેઠકમાં પુરૂષોતમ સોલંકી, હરીભાઇ ચૌધરી, પ્રભાતસિંહ ચૌહાણની ચર્ચા

ગાંધીનગરઃ ગુજરાત સરકારના ઇતિહાસમાં પ્રથમ વખત આજે જાહેર રજાના દિવસે મંત્રી મંડળની બેઠક મળી રહી છે આજની બેઠકમાં મુખ્ય મુદો મંત્રી પુરૂષોતમ સોલંકીનો છે મુદે હાઇકમાન્ડ દ્વારા કોઇ કડક સુચના આપી કોળીની વાત રાજકીય વતુળોમાં ચર્ચાઇ રહી છે.

 એક તરફ કેન્દ્રીય મંત્રી હરીભાઇ ચૌધરીનું નામ એસબીઆઇમાં ખુલ્યુ ત્યારે તેના એજન્ટ તરફી રાજય મંત્રી મંડળના મંત્રીના પીએનું નામ ખુલતા વહીવટી તંત્ર ચોકી ઉઠયું છે. હાલમાં રાજયના મુખ્યમંત્રીનો વહીવટી કંટ્રોલ નથી પરિણામ પ્રદેશ પ્રમુખ સામે પક્ષમાં વધતો જતો વિરોધ છે વડોદરાના તમામ ધારાસભ્યોએ વિરોધ દર્શાવ્યો છે જયારે રાજયના પાટનગર સચિવાલયમાં મુખ્યમંત્રીનો કોઇ કંટ્રોલ નથી. આનો જીવતો જાગતો દાખલો ભારત સરકારે રાજયના ખેડુતોની જમીન વર્ષો સુધી સંપાદન કરી કોઇ હેતુ શુધ્ધ થયો હોય તો ખેડુતને પરત આપવાની થાય વાતને ત્રણ વર્ષ થયા પરંતુ રાજય સરકાર જાણે ભારત સરકાર કરતા મોટી હોય તેવો દાવો કરી રહી છે તેવુ દેખાઇ રહયું છે.

 આજની મંત્રી મંડળની બેઠકમાં હાઇકમાન્ડ દ્વારા ખાનગી સુચના આપી હોવાનું દિલ્હીના રાજકીય વર્તુળો માંથી મળતી વિગતો મુજબ મંત્રી પુરૂષોતમ સોલંકી અને મંત્રી  ગણપત વસાવા સામે થયેલા ભષ્ટાચારની વાતોની ચર્ચા અને રાજીનામુ લેવાની વાતની ચર્ચા થશે.

  ઉપરાંત ગોધરાના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ સામે પણ કલ્પના બારના ભષ્ટાચારના આક્ષેપો થયા છે ત્યારે પ્રભાતસિંહ ખોટી એવી વાત અવારનવાર કોહસળી ચુકયા છે કે મારા સિવાય બેઠક કોઇ જીતી શકે.

હજુ આ વાત શાંત નથી થતી ત્યારે સાંસદ પરેશ રાવલ અને કેન્દ્રીય રાજય મંત્રી પુરૂષોતમ રૂપાલા ધારા પક્ષના સંગઠન સામે કરેલા નિવેદનોની પણ આજની બેઠકમાં ચર્ચા થાય તેમ જણાય છે. બીજી તરફ કેન્દ્રીય સિનિયર મંત્રી સુષ્મા સ્વરાજ ધારા ચુંટણી નહિ લડવાની કરવામાં આવેલ જાહેરાત પણ આગામી લોકસભાની ચુંટણી માટે સુચક છે.

(1:37 pm IST)