Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

શ્રી સ્‍વામિનારાયણ મંદિર મણિનગર ખાતે શ્રી અબજીબાપાશ્રીનો પ્રભાસ મહોત્‍સવ ઉજવાયો

અમદાવાદ : શ્રીજી સંકલ્‍પ મૂર્તિ, કચ્‍છ નિવાસી, સર્વજન પ્રિય એવા જીવનપ્રાણશ્રી અબજી બાપાશ્રીની ૧૭૪ની જયંતિ પ્રસંગે શ્રી સ્‍વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરૂષોત્તમપ્રિયદાસજી સ્‍વામીજી મહારાજના અધ્‍યક્ષપદે દબદબાપૂર્વક બે દિવસીય વિશ્વ શાંતિ માટે ભારતીય નાગરિકો નાતજાતના ભેદ ભાવથી પર રહી સર્વે નં. આવકાર આપવો તેવા જીવનપ્રાણ અબજીબાપાશ્રીનાં સિધ્‍ધાંત અન્‍યો શ્રી સ્‍વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે ર૪ કલાકની શ્રી સ્‍વામિનરાયણ મહામંત્રની અખંડ ધૂન્‍ય યોજવામાં આવી હતી.

પૂ. આચાર્ય સ્‍વામીજી મહારાજે આશિર્વાદમાં જણાવ્‍યું હતું કે અંબજી બાપાશ્રીએ દિકરીઓના જીવન વિકાસ માટે જે ભગીરથ પ્રયત્‍ન કર્યા તે સરાહનીય છે. શ્રી સ્‍વામિનારાયણ ગાદી સસ્‍થાન તેઓશ્રીના ચિંધેલા માર્ગે ચાલી રહ્યું છે. તેવું સદ્‌ગુરૂ ભગવત્‍પ્રિયદાસજી સ્‍વામી મહંતશ્રીની એક યાદીમાં જણાવાયું છે.

 

(1:01 pm IST)