Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

કાલે પશુપાલકોના પ્રશ્ને કોંગ્રેસના રાજયવ્‍યાપી ધરણા

દૂધ, શાકભાજી, ઘાસચારો, પાણી સહિતના પ્રશ્ને પ્રજાજનો સરકારથી ત્રાહીમામ : અમિતભાઈ ચાવડા, પરેશ ધાનાણી, રાજીવ સાતવ : જસદણમાં કોંગ્રેસના ઉમેદવારો અવસર નાકીયા અથવા રણજીત મેરના નામની ભારે ચર્ચા

રાજકોટ, તા. ૨૧ : રાજય અને કેન્‍દ્રની તદ્દન નિષ્‍ફળ કામગીરીના પ્રશ્ને કોંગ્રેસ દ્વારા આવતીકાલે રાજયવ્‍યાપી ધરણાનો કાર્યક્રમ યોજાયો છે.

તાજેતરમાં જ કોંગ્રેસ દ્વારા પ્રદેશ માળખુ જાહેર કર્યાની સાથે જ ફરી સક્રિય બની ગયું છે. સંગઠનની કામગીરી વધુ મજબૂત કરવામાં આવી રહી છે ત્‍યારે દૂધના ભાવ, મોંઘો ઘાસચારો, પાણી સહિતના પ્રશ્ને સરકાર તદ્દન નિષ્‍ફળ ગઈ છે. ખેડૂતો પણ છેલ્લા કેટલાક સમયથી પાકવિમા અને મગફળીના પ્રશ્ને આંદોલનો ચલાવી રહ્યા હોય આમ છતાં સરકારના પેટનું પાણી હલતુ નથી. આ સહિત રાજય સરકારની અનેક નિષ્‍ફળ કામગીરીઓના પ્રશ્ને કોંગ્રેસ દ્વારા આવતીકાલે રાજયભરમાં ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યુ હોવાનું પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી અને રાજીવ સાતવે જણાવ્‍યું છે.

 

(11:47 am IST)