Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસનો 25 સ્કવેર કિ.મી.નો વિસ્તાર અસંખ્ય રોશનીથી પ્રકાશિત કરાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આગામી 31 ઓક્ટોમ્બરે પી.એમ. મોદી આવનાર હોય કેવડિયાની આસપાસનો વિસ્તાર અસંખ્ય લાઈટ્સની રોશનીની ઝગમગી ઉઠ્યો છે.
 25 સ્ક્વેર કિ.મી.નો વિસ્તાર સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ અસંખ્ય લાઇટિંગથી પ્રકાશિત કરવામાં આવ્યો છે.આ લાઇટિંગથી રાત્રે એક અનેરું આકર્ષણ ઉભું કરાયું છે.જેથી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા હજારો પ્રવાસીઓ પૈકી જે રાત્રી રોકાણ કરશે એ આ રંગબેરંગી લાઇટની ભવ્યતાનો આનંદ જરૂર માણશે.હાલ લાઇટિંગથી સજાવાયેલો આ વિસ્તાર પ્રવાસીઓ માટે એક આકર્ષણ નું કેન્દ્ર બનશે.

(10:57 pm IST)