Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

નર્મદા જિલ્લામાં બુધવારે નવા ૯ કોરોના કેસ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક ૧૧૭૬ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે. જિલ્લા માં બુધવારે નવા ૯ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
  આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં બુધવારે ૦૯ દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં રાજપીપળા રાજેન્દ્રનગરમાં -૦૧ ગરુડેશ્વર તાલુકાના કેવડિયા કોલોની CRPF-૦૩,તિલકવાડાના કારેલીમાં-૦૨ જલોદરા-૦૩,મળી નર્મદા જિલ્લા માં કુલ-૦૯ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
 રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મરણ પામેલા દર્દી ની કુલ સંખ્યા-૦૩ છે,જ્યારે ૦૭ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૪૬ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં ૪૪ દર્દી દાખલ છે.આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૧૦૬૧ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૧૧૭૬ પર પહોચ્યો છે.આજે વધુ ૭૩૦ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:12 pm IST)