Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

ગુજરાતી કલાકાર હસમુખ ભાવસારનું અવસાન થયું

સગપણ, બાપ વેચવાનો છે, બીજો દિવસ, ગ્રાન્ડ હલીમાં તેમણે ભૂમિકા અદા કરી હતી

અમદાવાદ, તા.૨૧ : ગુજરાતી નાટક અને ફિલ્મોના પીઢ કલાકાર હસમુખ ભાવસારનું અવસાન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. હસમુખ ભાવસાર એક લોકપ્રિય અભિનેતા હતા. હસમુખ ભાવસારની તાજેતરની મૂવીઝ સગપણ, બાપ વેચવાનો છે, બીજો દિવસ, ગ્રાન્ડ હલી અને સંબંધોની સોનોગ્રાફીમા તેઓએ અભિનય કર્યો હતો. હસમુખ ભાવસારની સગપણ મૂવી ૩ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ રીલિઝ થઈ હતી તેમાં હસમુખ ભાવસાર મુખ્ય પાત્રોમાંના એક હતા. ગુજરાતી ફિલ્મોમાં જોવા મળે છે. તેમની ફિલ્મોમાં સંબંધો ની સોનોગ્રાફી (૨૦૧૬), કમિટમેન્ટ (૨૦૧૬) મોનાલિસા (૨૦૧૭) જ્યારે કોમેડી નાટક બાપ વેચવાનો છે (૨૦૧૭) નો સમાવેશ થાય છે. જાન્યુઆરી ૨૦૨૦માં સગપણ ફિલ્મમાં પણ હસમુખ ભાવસાર અભિનય કરતા જોવા મળ્યા હતા.

(7:27 pm IST)