Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

ગુજરાતી અભિનય જગતના દિગજ્જ કલાકાર હસમુખ ભાવસરનું નિધન

સમગ્ર ઇન્ડસ્ટ્રીઝમાં શોકનું મોજું ફરી વળ્યું: એક ડાળના પંખી દ્વારા ઘરે ઘરે હતા જાણીતા

અમદાવાદ : ગુજરાતી અભિનય જગતના  જાણીતા દિગ્ગજ કલાકાર અને એક ડાળના પંખી જેવી પ્રસિદ્ધ ગુજરાતી સિરિયલોમાં કામ કરનાર કલાકાર હસમુખ ભાવસારનું નિધન થયું છે. હસમુખ ભાવસારનું નિધન થતા સમગ્ર ઇન્ડસ્ટ્રીઝમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે  હસમુખ ભાવસારે અનેક ગુજરાતી ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું. એક ડાળના પંખી તેમજ ભલા ભુસાના ભેદભરમ જેવી સિરિયલોમાં કામ કર્યું હતું. આ સિવાય તેમને છેલ્લી સિરિયલ 'મામાનું ઘર કેટલે'માં પણ કામ કર્યું છે.તેઓ તેમના ઘેઘૂર અવાજ માટે જાણીતા હતા. તેઓએ અનેક ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા હતા

ગુજરાતી ફિલ્મોમાં તેમણે દિલ દોસ્તી લવ ઇન લાઇફ, બાપ વેચવાનો છે, ગ્રાન્ડ હળી, મોનાલીસા, સંબંધોની સોનોગ્રાફી, આ તો પ્રેમ છે વગેરે જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. 

(4:49 pm IST)