Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

સુરતના કલામંદિર જવેલર્સમાં નોટબંધી વેળાએ કરોડોનું કૌભાંડ : ભાજપ નેતાના આરોપથી ખળભળાટ : દસ્તાવેજી પુરાવા આપ્યા

રિટાયર્ડ આવકવેરા અધિકારી એવા ભાજપ નેતાએ સમગ્ર મામલે ED અથવા CBIની તપાસની માંગણી કરી

સુરત : શહેરના ભાજપના નેતાએ સુરતના જવેલર્સે કરોડોનું કૌભાંડ આચર્યું હોવાના કરેલ ટવીટથી ખળભળાટ મચી જવા પામ્યો છે, આ કૌભાંડમાં કેટલા ભ્રષ્ટાચારી આવકવેરા અધિકારીઓ, ચાર્ટડ એકાઉટન્ટ અને ઉદ્યોગકારોની મિલીભગત ખુલ્લી પડી ગઈ છે. ભાજપના નેતાનો આક્ષેપ છે કે નોટબંધી દરમિયાન એક જ્વેલર્સ દ્વારા 110 કરોડ રૂપિયા ત્રણ દિવસમાં બેન્કમાં ડિપોઝીટ કરવામાં આવ્યાં હતાં, પરંતુ તેની સામે માત્ર 84 લાખનો જ ટેક્સ ભરવામાં આવ્યો હતો.

   સુરત શહેર ભાજપનાં ઉપપ્રમુખ પી.વી એસ શર્મા કે જેઓ પોતે એક રિટાયર્ડ આવકવેરા અધિકારી પણ છે. તેમને સુરતના ઘોડદોડ રોડ પર આવેલા ક્લામંદિર જ્વેલર્સના કેટલાંક ડોક્યુમેન્ટ ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે સમગ્ર કૌભાંડમાં ED અથવા CBIની તપાસની માંગણી કરી છે. શર્માનો એવો આક્ષેપ છે કે, નોટબંધી લાગુ થઈ ત્યારે કલામંદિર જ્વેલર્સના માલિકો પાસે 110 કરોડ રૂપિયાની રોકડ હતી.

   સુરત શહેર ભાજપનાં ઉપપ્રમુખ પી.વી એસ શર્મા કે જેઓ પોતે એક રિટાયર્ડ આવકવેરા અધિકારી પણ છે. તેમને સુરતના ઘોડદોડ રોડ પર આવેલા ક્લામંદિર જ્વેલર્સના કેટલાંક ડોક્યુમેન્ટ ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે સમગ્ર કૌભાંડમાં ED અથવા CBIની તપાસની માંગણી કરી છે. શર્માનો એવો આક્ષેપ છે કે, નોટબંધી લાગુ થઈ ત્યારે કલામંદિર જ્વેલર્સના માલિકો પાસે 110 કરોડ રૂપિયાની રોકડ હતી.

શર્માનો એવો આક્ષેપ છે કે આ જ્વેલર્સ સાથે એનસીપીનાં એક મોટા ગજાના નેતાનું કનેક્શન જોડાયું છે. આ સાથે જ કેટલાંક ભ્રષ્ટાચારી આવકવેરા અધિકારીઓ, ચાર્ટડ એકાઉટન્ટ અને ઉદ્યોગકારોની પણ મિલીભગત છે. પોતાના ટ્વિટ થકી CBI કે ED પાસે તપાસ કરાવવાની માંગણી પણ કરી છે.

(1:19 pm IST)