Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

અમદાવાદમાં ૧૯ દિવસમાં ડેંગ્યુના ૫૪૬ કેસ સપાટીએ

ડેંગ્યુ રોગચાળાને રોકવા માટે શ્રેણીબદ્ધ પગલા : ૧૯ દિવસના ગાળામાં જુદા જુદા વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળાને રોકવા માટે વિવિધ પગલાઓ લેવામાં આવ્યા

અમદાવાદ, તા. ૨૧ : સરકાર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવાયા હોવા છતાં શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. સાદા મેલેરિયા, ઝેરી મેલેરિયા, ડેંગ્યુ, ચિકનગુનિયા, ઝાડા ઉલ્ટી, કમળાના કેસો નોંધાયા છે. ઓક્ટોબર ૨૦૧૮ની સરખામણીમાં ૧૯મી ઓક્ટોબર ૨૦૧૯માં હજુ સુધી મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના ઓક્ટોબર મહિનામાં હજુ સુધી ૨૯૪ કેસ નોંધાયા છે જ્યારે ઝેરી મેલેરિયાના ૨૪ અને ડેંગ્યુના ૫૪૬ કેસો સપાટી ઉપર આવ્યા છે જ્યારે ચિકનગુનિયાનો બે કેસ સપાટી પર આવ્યો છે. અમદાવાદમાં પણ ડેંગ્યુ રોગચાળાએ જોરદાર આતંક મચાવી દીધો છે. ડેંગ્યુના ૧૯ દિવસના ગાળામાં જ ૫૪૬ કેસ સપાટી ઉપર આવી ગયા છે જેથી ખળભળાટ મચી ગયો છે. મેલેરિયા વિભાગ દ્વારા પણ મચ્છર નિયંત્રણની કામગીરી માટે વિવિધ ફોગિંગ મશીનો દ્વારા ઇન્ડોર તથા આઉટડોર ફોગિંગ કામગીરી કરવામાં આવી છે. મધ્ય ઝોન, ઉત્તર ઝોન સહિત જુદા જુદા ઝોનમાં કુલ ૨૪૪ થર્મલ ફોગિંગ મશીનો છે જ્યારે સુપર ડિલક્ષ લિકો મશીનની સંખ્યા ૧૩ છે. રેસિડેન્સ વિસ્તારમાં પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. જે સોસાયટીમાં મચ્છરનું બ્રિડિંગ જોવા મળ્યું છે ત્યારે નોટિસ ફટકારીને વહીવટી ચાર્જ વસુલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વિવિધ ઝોનમાં સ્કુલો પણ સીલ કરવામાં આવી છે. શૈક્ષણિક સંકુલોમાં ચકાસણી કરીને ૧૦ સ્કુલો સીલ કરવામાં આવી છે. ઓક્ટોબર મહિનાના પ્રથમ ૧૯ દિવસમાં ઝાડાઉલ્ટીના ૨૩૦ કેસો સપાટી ઉપર આવી ચુક્યા છે. કમળાના ૨૦૦ અને ટાઇફોઇડના ૩૭૧ કેસ નોંધાઈ ચુક્યા છે. ઓક્ટોબર માસના ગાળામાં હજુ સુધી ઝાડા ઉલ્ટીના ૨૩૦ કેસ નોંધાઈ ચુક્યા છે. અલબત્ત કોલેરાના કેસોને રોકવામાં તંત્ર સફળ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને રોકવા માટે મોટાપાયે વિવિધ વિસ્તારોમાં ક્લોરિન ગોળીઓનું વિતરણ કર્યું છે જેમાં ૩૬૧૪૦ ક્લોરિન ગોળીઓનું વિતરણ ઓક્ટોબર મહિનામાં કરવામાં આવ્યું છે. બેક્ટોરિયોલોજીકલ તપાસ માટે ૧૦૬૦ પાણીના નમૂના લેવામાં આવ્યા છે. વહીવટી દંડ ફટકારીને પણ અસરકારક કામગીરી જુદા જુદા વિસ્તારમાં હાથ ધરવામાં આવી છે. પાણીના અનફિટ સેમ્પલોની સંખ્યા તપાસ કરવામાં આવ્યા બાદ ૧૦ નોંધાઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા ઓક્ટોબર સુધીમાં લોહીના હજારોની સંખ્યામાં નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. આવી જ રીતે ઓક્ટોબર ૨૦૧૮માં ૮૩૦૦ની સરખામણીમાં ૧૯મી ઓક્ટોબર ૨૦૧૯ સુધીમાં ૪૫૩૮ જેટલા સિરમ સેમ્પલો લઇને તપાસ કરવામાં આવી રહી છે. લોકોને જાગૃત કરવાના પ્રયાસો પણ તંત્ર તરફથી કરવામાં આવીરહ્યા છે. મચ્છરજન્ય વિસ્તારોમાં ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. મેલેરિયા રોગચાળાને રોકવામાં સફળતા મળી છે. હાઉસ ટુ હાઉસ સર્વિની કામગીરી સઘન થાય તે માટે ચાલુ વર્ષે ૨૦૧૯થી ત્રણ માસ માટે સપ્ટેમ્બર મહિનાથી ૧૦૦૦ વોલિન્ટિયર્સની નિમણૂંક કરવામાં આવી છે જેમાં મચ્છરના બ્રિડિંગનો નાશ કરવાની કામગીરી પણ સોંપવામાં આવી રહી છે. લોકોમાં મેલેરિયા અંગે જનજાગૃતિ કેળવાય તે માટે સમજણ પણ આપવામાં આવી રહી છે. તંત્ર દ્વારા હાલમાં મચ્છરજન્ય રોગચાળાને રોકવા માટે પગલા લેવામાં આવ્યા છે.

રોગચાળાનું ચિત્ર.....

અમદાવાદ, તા.૨૧ : સરકાર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવાયા હોવા છતાં શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. સાદા મેલેરિયા, ઝેરી મેલેરિયા, ડેંગ્યુ, ચિકનગુનિયા, ઝાડા ઉલ્ટી, કમળાના કેસો નોંધાયા છે. અમદાવાદ શહેરમાં રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે જેના લીધે કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે પરંતુ કેસોની સંખ્યા અટકી રહી નથી. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસ નીચે મુજબ છે.

મચ્છરજન્ય કેસો

વિગત

ઓક્ટોબર-૨૦૧૮

ઓક્ટોબર-૨૦૧૯

સાદા મેલેરીયાના કેસો

૩૮૯

૨૯૪

ઝેરી મેલેરીયાના કેસો

૮૯

૨૪

ડેન્ગ્યુના કેસો

૧૨૩૪

૫૪૬

ચીકુનગુનિયા કેસો

૨૬

૦૨

પાણીજન્ય કેસો

 

 

ઝાડા ઉલ્ટીના કેસો

૩૫૦

૨૩૦

કમળો

૨૯૦

૨૦૦

ટાઈફોઈડ

૩૫૩

૩૭૧

કોલેરા

૦૧

૦૦

આરોગ્ય વિભાગના પગલા

અમદાવાદ, તા.૨૧ : સરકાર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવાયા હોવા છતાં શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. સાદા મેલેરિયા, ઝેરી મેલેરિયા, ડેંગ્યુ, ચિકનગુનિયા, ઝાડા ઉલ્ટી, કમળાના કેસો નોંધાયા છે. ઓક્ટોબર ૨૦૧૮ની સરખામણીમાં ૧૯મી ઓક્ટોબર ૨૦૧૯માં હજુ સુધી મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના ઓક્ટોબર મહિનામાં હજુ સુધી ૨૯૪ કેસ નોંધાયા છે જ્યારે ઝેરી મેલેરિયાના ૨૪ અને ડેંગ્યુના ૫૪૬ કેસો સપાટી ઉપર આવ્યા છે જ્યારે ચિકનગુનિયાનો બે કેસ સપાટી પર આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વર્તમાન મહિનામાં રોગચાળાને રોકવા માટે જે પગલા લેવાયા છે તે નીચે મુજબ છે.

ક્લોરિન ટેસ્ટ

૮૧૦૮

ક્લોરિન નિલ

૩૯

બેક્ટેરીયોલોજીક તપાસ માટે નમૂના

૧૦૬૦

પાણીના અનફીટ સેમ્પલની સંખ્યા

૧૦

ક્લોરીન ગોળીઓનું વિતરણ

૩૬૧૪૦

વહીવટી ચાર્જ

૨૩૦૦૪૦૦

(9:48 pm IST)