Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

મહુધા તાલુકાના હેરંજમાં પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી કરપીણ હત્યા કરનાર નરાધમ પતિને અદાલતે આજીવન કેદની સુનવણી કરી

મહુધા :તાલુકાના હેરંજમાં દશ મહિના અગાઉ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી તેને મોતને ઘાટ ઉતારી દેવાના બનાવમાં નડિયાદ કોર્ટે પતિને કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.

મળતી માહિતી મુજબ મહુધા તાલુકાના હેરંજમાં રહેતાં મહેશભાઈ જાયાભાઈ ચુનારાના પંદર વર્ષ અગાઉ રંજનબેન નામની યુવતિ સાથે લગ્ન થયાં હતાં. લગ્નના શરૂઆતના દિવસો સુખમય ગયાં હતાં. જેથી લગ્ન ફળરૂપે રંજનને ત્રણ સંતાન થયાં હતાં. જો કે બનાવના આઠ વર્ષ અગાઉથી મહેશ તેની પત્ની રંજનબેનના ચારિત્ર્ય પર શંકા રાખતો હતો. જેના કારણે અવારનવાર ઝઘડા થતાં હતાં. ગત તા.૧૫-૧૨-૧૮ના રોજ વહેલી સવારે પાંચ વાગે પતિ-પત્ની વચ્ચે થયેલા આવા ઝઘડામાં પતિ મહેશે પોતાની પત્ની રંજનને ગડદાપાટુનો માર મારી જમીન પર પાડી દઈ તેના ગળાના ભાગે લાકડી મૂકી જોરથી દબાવતાં રંજનબેનનું મોત નિપજ્યું હતું.

(5:28 pm IST)