Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડમાંથી મૃત્યુ સહાય પેટે ૧.૩૨ કરોડ અને માંદગી સહાય પેટે ૨૨ લાખ ચુકવાશે

અમદાવાદ તા ૨૧  :  બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડમાંથી ૭૨ વકીલના પરિવારને મૃત્યુ સહાય પેટે કુલ ૧.૩૨ કરોડ અને માંદગી સહાય પેટે કુલ ૭૯ વકીલને રૂા ૨૨ લાખની સહાય ચુકવવાનો નિર્ણય લીધો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના એડમિનિસ્ટ્રેટીવ કમિટિના ચેરમેન સી.કે.પટેલ, સભ્યો અનિલ સી કેલ્લા સહિતની મિટીંગ મળી હતી, જેમાં મૃત્યુ પામેલા ૭૯ વકીલને મૃત્યુ સહાયના નાણાં ચુકવવા અને ૭૯ વકીલને માંદગી સહાય ચુકવવાની અરજીઓ મૂકવામાં આવી હતી. જેમાંથી ૭૨ વકીલના પરિવારને મૃત્યુ સહાય અને ૭૯ વકીલના પરિવારને માંદગી સહાય ચુકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં ૮૦ હજારથી વધુ વકીલો બાર કાઉન્સિલમાં નોંધાયેલા છે, જેમાંથી માત્ર ૩૫૦૦૦ વકીલો ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડમાં જોડાયા છે.

(11:53 am IST)