Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

અમીરગઢના ડાભેલા ગામે કપિરાજનો આતંક : સાત લોકોને ઘાયલ:ગ્રામજનોએ રાજસ્થાન જોધપુરથી તાંત્રિકને બોલાવ્યો

કપિરાજને પકડવા માટે મોટા પાંજરા મુકવામાં આવ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ડાભેલા ગામે કપિરાજે આતંક મચાવીને સાત વ્યક્તિઓને ઘાયલ કર્યા હતા. ઘાયલ વ્યક્તિઓ સારવાર માટે ખસેડાયા હતા. ત્રણ દિવસ સુધી વાંદરાને પકડવાના પ્રયાસો નિષ્ફળ જતા અંતે ગામ લોકોએ રાજસ્થાનના જોધપુરથી કોઈ તાંત્રિકને બોલાવ્યો હતો. જો કે હાલમાં કપિરાજને પકડવા માટે મોટા પાંજરા મુકવામાં આવ્યા છે.

(10:14 pm IST)