Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના મહામંત્રીની હત્યાથી રોષ ભભૂક્યો:દહેગામ-અમદાવાદ હાઇવે પર ચક્કાજામ

ગાંધીનગર જિલ્લાના દહેગામના કડાદરા ગામે રહેતા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી રણવીર સિંહ બિહોલા પર ચાર દિવસ પહેલા સરપંચ કિરિટ સિંહના ડ્રાયવર અને તેના સાગરીતોએ ચપ્પા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત જિલ્લા કોંગ્રેસ મહામંત્રીનું મોત થયું હતુ. બીજી બાજુ અમદાવાદ સિવિલથી લાશ લઇને તેમના ગામ આવતા પરિવારજનોએ લાશ લેવાનો ઇનકાર કર્યો હતો અને દહેગામ અમદાવાદ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો.

ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ મહામંત્રી રણવીર સિંહ બિહોલાની હત્યાના બનાવે રાજકીય સ્વરૂપ પકડી લીધુ છે

(11:43 am IST)