Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

બરોડા ડેરી વહીવટ મુદ્દે વિવાદ : ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ કેતન ઇનામદારના સમર્થનમાં ઉતર્યાં

કહ્યું - 'સમગ્ર વડોદરાના સભાસદોને ન્યાય મળવો જોઇએ.

વડોદરા :  બરોડા ડેરીના વહીવટ મુદ્દે ભાજપના જ ધારાસભ્ય કેતન ઇનામદારે સવાલો ઉઠાવ્યા બાદ હવે મધુ શ્રીવાસ્તવ પણ તેમના સમર્થનમાં આવ્યાં છે. મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે, 'હું કેતન ઇનામદારની વાતથી સંમત છું. બરોડા ડેરીના સત્તાધીશો ક્યાંક ફરવા નીકળી ગયા છે. ડેરીના પ્રમુખ દિનેશ પટેલ પાસે ખૂબ પૈસા છે એટલે તેઓ ફોન પણ ન ઉઠાવે.'

મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે, 'સમગ્ર વડોદરાના સભાસદોને ન્યાય મળવો જોઇએ.' મહત્વનું છે કે મધુ શ્રીવાસ્તવ પણ ડેરીના પ્રમુખ દિનેશ પટેલ સામે ગેરરીતિના આક્ષેપો કરી ચૂક્યાં છે.

(12:29 pm IST)